હળવદ તાલુકામાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલમાંથી માઇનોર કેનાલ વાટે જુદી જુદી કેનાલોમાં પાણી આપવામાં આવે છે. ત્યારે આજે હળવદના લાંબી દેરી વિસ્તારમાં મોટી <br /> <br />સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા. અને પીયતના પાણીની માંગ કરી હતી. <br /> <br />ખેડૂતોએ સરકાર પાસે પીયતના પાણીની માંગ કરી <br /> <br />ખેડૂતોને પીયત માટે પાણી નહીં મળતા અધિકારીઓને રજૂઆત કરીને થાક્યા હોવા છતાં રજૂઆતો નહીં સાંભળતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જો પાણીની સમસ્યા દૂર કરવામાં નહીં <br /> <br />આવે તો આશરે 1500 વીઘાથી વધુમાં પાક સંપૂર્ણ પણે નિષ્ફળ જાય તેવી શક્યતા છે. ખેડૂતો પાસેથી મળતી માહિતી મુજબ હળવદ તાલુકામાંથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ માઇનોર <br /> <br />ડી-19ની કેનાલમાંથી પીયત માટે ખેડૂતો પાણી લેતા હોય છે. પરંતુ કોઇ અજાણ્યા શખ્સો દ્વારા કેનાલના વાલમાં નુકસાન કરી આગળ જતા પાણીને અટકાવી દેવામાં આવ્યું છે. જેથી કરીને <br /> <br />પાછળના ખેડૂતોનો આશરે 1500 વીઘાથી વધારેનો તૈયાર થઇ ગયેલો પાક મુરઝાવાના આરે છે. <br /> <br />1500 વીઘાથી વધુમાં પાક નિષ્ફળ જાય તેવી શક્યતા <br /> <br />ધ્રાંગધ્રા બ્રાન્ચ માઇનોર ડી-19ના કાર્યપાલક ઇજનેર કે.એસ.ભાભોરને અવાર નવાર રજૂઆત કરવા છતાં પણ રજૂઆતો ધ્યાનમાં નહીં લેતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો. જેથી કરીને તંત્ર <br /> <br />દ્વારા વહેલી તકે કામગીરી કરાય તેવી ખેડૂતોએ માંગ કરી હતી. ધ્રાંગધ્રા બ્રાન્ચ માઇનોર ડી-19ના કાર્યપાલક ઇજનેર કે.એસ.ભાભોરને પૂછતા તેમને જણાવ્યું હતું કે, જે પણ અસામાજિક <br /> <br />તત્વોએ સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.