આજે દેશમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા અને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજઘાટ પર બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન પીએમ મોદીએ બાપુની સમાધિ સ્થળ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. <br />વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધી અને દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી છે. PM મોદીએ પણ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.
