Surprise Me!

કેરળના રાજ્યપાલ આરીફ મોહમદ ખાન ગાંધી આશ્રમ પહોંચ્યા

2022-10-02 274 Dailymotion

દેશભરમાં ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી છે. જેમાં ગાંધી જયંતી નિમિત્તે સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ અમદાવાદના સાબરમતી આશ્રમમાં <br /> <br />સર્વધર્મ પ્રાર્થના સભા યોજાઈ છે. જેમાં કેરળના રાજ્યપાલ આરીફ મોહમદ ખાન ગાંધી આશ્રમ પહોંચ્યા છે. તેમજ વૈષ્ણવજન ગાઇ બાપુને યાદ કરાયા છે. <br /> <br />કીર્તિમંદિરે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું <br /> <br />ઉલ્લેખનીય છે કે વિશ્વ અહિંસા દિવસ એટલે ગાંધી જયંતિ. જેમાં સાબરમતી આશ્રમ ખાતે સર્વધર્મ પ્રાર્થનાસભા યોજાઈ છે. તેમાં ગાંધી વિચારો તમામ જનતા સુધી પહોંચે તેવા પ્રયત્ન <br /> <br />કરવા પ્રાર્થના સભા યોજાઈ છે. તેમજ ગાંધીજીના જન્મસ્થળે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કીર્તિમંદિરે સર્વધર્મ પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું છે. તથા મુખ્યમંત્રી <br /> <br />અને રાજકીય આગેવાનો પણ સામેલ છે. તેમજ પ્રાર્થના સભા બાદ CM સિટી બસ સેવાનો પ્રારંભ કરાવશે. તથા CM ખારવા માછીમાર સાથે બેઠક કરશે. <br /> <br />ગાંધીજીના જન્મસ્થાને આજે પ્રાર્થના સભા યોજાઇ <br /> <br />પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મસ્થાને આજે પ્રાર્થના સભા યોજાઇ છે. આજે બીજી ઓક્ટોબરના દિવસે બાપુના જન્મ સ્થાન કીર્તિ મંદિરે સર્વધર્મ પ્રાર્થના યોજાતા રાજ્યના મુખ્યમંત્રી <br /> <br />ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક રાજકીય આગેવાનો પ્રાર્થના સભામાં જોડાયા છે. જેમાં પ્રાર્થના સભા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ છાયા-પોરબંદર સયુંકત નગરપાલિકાની સીટી બસ સેવાનો <br /> <br />પ્રારંભ કરાવશે. તથા ખારવા માછીમારોની પંચાયત ( મઢી) ખાતે માછીમારો સાથે મીટીંગ કરશે.

Buy Now on CodeCanyon