Surprise Me!

PM મોદીએ શ્રી મહાકાલ કોરિડોર પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું

2022-10-11 1 Dailymotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉજ્જૈન પહોંચી ગયા છે. અહીં તેમણે માહાકાલ મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ મહાકાલેશ્વર કોરિડોરનું ઉદઘાટન કર્યું છે. પીએમ મોદીએ દ્વારા દ્વારા આજે 856 કરોડ રૂપિયાના મહાકાલેશ્વર મંદિર કોરિડોર વિકાસ પ્રોજેક્ટના પહેલા ફેઝનું ઉદ્ધાટન કરાયું છે. તેમની સાથે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મહાકાલ કોરિડોરની ખાસીયત એ છે કે, આ કોરિડોર 900 મીટરથી વધુ લાંબો છે. મહાકાલ કોરિડોર પ્રોજેક્ટ ઘણી રીતે ખાસ છે. તેના પ્રથમ તબક્કામાં દર્શનાર્થે આવતા યાત્રિકોને વિશ્વ કક્ષાની આધુનિક સુવિધાઓ પુરી પાડવામાં આવશે. જેથી યાત્રિકોનો અનુભવ યાદગાર બની રહે.

Buy Now on CodeCanyon