કેશોદ વિધાનસભામાં આયાતી ઉમેદવારને લઇને કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કેશોદ વિધાનસભા બેઠકના દાવેદારોમાં નારાજગી જોવા મળી રહી છે. હીરાભાઈ જોટવાને ટિકિટ મળે તેવી આશંકાને પગલે સ્થાનિક નેતૃત્વમાં નારાજગી જોવા મળી રહી છે. કેશોદ બેઠકના દાવેદારોએ જણાવ્યું છે કે આયાતી ઉમેદવારોને ટિકિટ અપાશે તો કોંગ્રેસને બેઠક ગુમાવવાનો વારો આવશે. આ ઉપરાંત કેશોદ યુથ કોંગ્રેસ પ્રમુખ સહિત નેતૃત્વએ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે.
