ગુજરાતના અમદાવાદ ખાતે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેમાં 15 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી દરરોજ બપોરે 2 વાગ્યાથી રાત્રે 9.00 વાગ્યા સુધી અને <br /> <br />રવિવારે સમગ્ર દિવસ દરમિયાન સૌકોઈ માટે નિઃશુલ્ક પ્રવેશ છે. એના માટે કોઈ પ્રકારના રજિસ્ટ્રેશનની જરૂર નથી. બે વાગ્યા પહેલાંનો સમય હરિભક્તો માટે આરક્ષિત છે. એના માટે <br /> <br />દર્શનાર્થી હરિભક્તોનું તારીખ મુજબ આવવા માટે રજિસ્ટ્રેશન જે-તે દેશની સત્સંગ પ્રવૃત્તિ સેન્ટ્રલ ઓફિસ અને સત્સંગ પ્રવૃત્તિના કાર્યકર દ્વારા જ કરવામાં આવ્યું છે. દર્શનાર્થી માટે પણ કોઈ <br /> <br />ઓનલાઈન રજિસ્ટ્રેશનની જાહેર લિંક, વેબસાઈટ કે એપ નથી. કોઈ પ્રકારના પ્રી-રજિસ્ટ્રેશન વિના જાહેર જનતા દરરોજ બપોરે 2.00 વાગ્યા પછીથી અને રવિવારે સમગ્ર દિવસ દરમિયાન <br /> <br />મહોત્સવનો લાભ લઇ શકે છે.